એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જ્યાં એક લગ્ન સમારોહ દરમિયાન ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. જાન લઇને જતી વખતે વરરાજા સાથે ઘોડાગાડી ઊંડી ગટરમાં પડી હતી. બગીમાં વરરાજા સાથે બે બાળકો પણ હાજર હતા. આ ઘટના બનતા જ તમામ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોકોએ બચાવ કામગીરી હાથ ધરીને વર અને બાળકોને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં વરરાજાને ઈજા થઈ હતી.
જોકે, ઘોડાને બહાર કાઢવામાં આવ્યો ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.
વાસ્તવમાં, આ ઘટના અલીગઢ જિલ્લાના થાણા સ્થિત શાંતિ સુમંગલમ ગેસ્ટ હાઉસની છે. જે ગેસ્ટ હાઉસના ગેટ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સર્જાતા લાંબા સમય સુધી લગ્ન રોકાયા હતા, ત્યારબાદ મોડેકથી લગ્ન પ્રસંગનો કાર્યક્રમ આગળ ધપાવવામાં આવ્યો હતો. લોકોનો આક્ષેપ છે કે ગેસ્ટ હાઉસની બહાર જૂની ગટર ઉંડા ગટરમાં ફેરવાઈ ગઈ છે. ત્યાં સુરક્ષાના દૃષ્ટિકોણથી ગેસ્ટ હાઉસના માલિક કે મહાનગરપાલિકાએ કોઈ રેલિંગ લગાવી નથી, જેના કારણે આ અકસ્માત થયો છે.
જાણો શું છે મામલો?
તે જ સમયે, ગેસ્ટ હાઉસના માલિક યશપાલ સિંહે જણાવ્યું છે કે 8 ડિસેમ્બર, ગુરુવારે રાત્રે તેમના ગેસ્ટ હાઉસમાં એક લગ્ન સમારોહ હતો, જેમાં વરરાજાના લગ્નની જાન આવી રહી હતી. જાન ગેસ્ટ હાઉસના ગેટની સામે પહોંચી કે તરત જ વરરાજા સાથે આખેઆખી ઘોડાગાડી રસ્તાની બાજુના ઊંડા નાળામાં પલટી ગઈ.
યશપાલના જણાવ્યા અનુસાર બગીમાં વરરાજા સાથે બે બાળકો પણ હતા. ગેસ્ટ હાઉસના માલિક યશપાલે આરોપ લગાવ્યો છે કે બગ્ગી ચલાવનાર વ્યક્તિએ જાન દરમિયાન પૈસા લૂંટવા લાગ્યો અને બગીમાં ઘોડાની લગામ છોડી દીધી, જેના કારણે બગ્ગી અસંતુલિત થઈ ગઈ અને ઊંડા નાળામાં પડી ગઈ.
આ અકસ્માત બાદ સ્થળ પર હાજર લોકોની મદદથી વરરાજા અને બાળકને ઉતાવળમાં બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં વરરાજાને ઈજા થઈ હતી. પરંતુ, ઘોડાને બહાર કાઢવામાં આવ્યો ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. કારણ કે, ઘોડો. લાંબા સમયથી બગ્ગી નીચે દબાયેલો હતો.
દરરોજ ન્યુઝ અવનવી માહિતીઓ મેળવવા માટે જોડાઈ જાઓ અમારા ગ્રૂપમાં 👇